વર્ઝન 8.0
તારીખ: મે 21, 2025
1. PhonePe વિશે
PhonePe લિમિટેડ (“PhonePe”) (જે અગાઉ ‘PhonePe પ્રાઇવેટ લિમિટેડ’ તરીકે ઓળખાતું હતું)ને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (“RBI”) દ્વારા ચુકવણી અને સેટલમેન્ટ સિસ્ટમ્સ અધિનિયમ, 2007ની જોગવાઈઓ અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિર્દેશો અને નિયમો અનુસાર ભારતમાં પ્રિપેઈડ ચુકવણી ઈન્સ્ટ્રુમેન્ટ જારી કરવા અને સંચાલિત કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે, જે સમય સમય પર સુધારવામાં આવેલ છે.
તદનુસાર, PhonePe એ ફરિયાદ નીતિ દ્વારા તેના તમામ ગ્રાહકો અને મર્ચન્ટ માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને પ્રમાણિત કરી છે.
2.નીતિનો હેતુ
નીતિમાં નીચેના પાસાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે:
i. નીતિમાં ઉત્પાદન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં રિચાર્જ, બિલ પે, PhonePe વૉલેટ, PhonePe ગિફ્ટ કાર્ડ્સ, UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ), વેલ્થ, ટ્રાવેલ, ટ્રાન્ઝિટ અને ફૂડ અને ગ્રાહકો માટે વાઉચર્સનો સમાવેશ થાય છે.
ii. આ નીતિ મર્ચન્ટ-સંબંધિત સમસ્યાઓ અને આધાર eKYC મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડે છે.
3.નીતિનો ઉદ્દેશ્ય:
નીતિનો ઉદ્દેશ્ય કરવામાં આવેલી ફરિયાદોની વિગતો અને વિવિધ પ્રકારની ફરિયાદોના નિવારણની પદ્ધતિ પુરી પાડવાનો છે.
આ નીતિ ગ્રાહકો અને મર્ચન્ટ માટે અનુક્રમે એસ્કેલેશન મેટ્રિક્સની વિગતો આપે છે. તે ગ્રાહકની દરેક ફરિયાદ માટે યોગ્ય ટીમનું મેપિંગ સુનિશ્ચિત કરે છે.
4. આ નીતિ કોને લાગુ થાય છે
આ નીતિ PhonePeનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકો અને મર્ચન્ટ માટે છે.
5. સર્વિસ લેવલ
રિચાર્જ, બિલ પે, PhonePe વોલેટ, PhonePe ગિફ્ટ કાર્ડ્સ, યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), વેલ્થ, ટ્રાવેલ, ટ્રાન્ઝિટ અને ફૂડ, વાઉચર્સ અને કો-બ્રાન્ડેડ ભાગીદારી માટે સર્વિસ લેવલ.
ગ્રાહકો માટે:
લેવલ 1
- ફરિયાદ નોંધણી:
- ગ્રાહક “જૂના ટ્રાન્ઝેક્શન” વિભાગમાંથી સંબંધિત વ્યવહાર પસંદ કરીને અને “PhonePe સહાયનો સંપર્ક કરો” પર ક્લિક કરીને PhonePe ગ્રાહક સહાયમાં તેમની ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહક PhonePe એપના હોમ પેજ પર (?) આઇકન પર ક્લિક કરીને PhonePe ગ્રાહક સહાયમાં તેમની ફરિયાદ નોંધાવી શકે છે.
- અમે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ગ્રાહક સહાય સેવા પ્રદાન કરીએ છીએ.
- ફરિયાદોનું નિરાકરણ:
- We are committed to providing you with our first response within 24 hours of receiving the complaint.
- ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર ગ્રાહકને અમારો પહેલો પ્રતિભાવ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
- અમારું લક્ષ્ય ગ્રાહકની બધી ફરિયાદો/પ્રશ્નોનું 3 કાર્યકારી દિવસમાં નિરાકરણ કરવાનો છે.
- ઓપરેશનલ/ટેકનિકલ કારણોસર ગ્રાહકની ફરિયાદના નિરાકરણમાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકને ફરિયાદનો ઉકેલ લાવવાની સમયમર્યાદા વિશે સક્રિયપણે જાણ કરવામાં આવશે.
- કેટલીક પરિસ્થિતિઓમાં, ફરિયાદનો ઉકેલ તાત્કાલિક આવે છે, પરંતુ તેને સિસ્ટમમાં પ્રતિબિંબિત થવામાં સમય લાગી શકે છે. ઉદાહરણ તરીકે, રિફંડ મંજૂરી તાત્કાલિક થઈ શકે છે, પરંતુ ખાતામાં પૈસા પ્રતિબિંબિત થવામાં 3-10 દિવસ લાગી શકે છે. આવા વિલંબ બેંકિંગ અને અન્ય ઓપરેશનલ સમસ્યાઓને કારણે થાય છે.
- છેતરપિંડી અને જોખમ મૂલ્યાંકન’ સંબંધિત ફરિયાદોમાં ઘણી વાર બહુવિધ એજન્સીઓની સંડોવણીને કારણે તપાસ કરવામાં વધુ સમય લાગે છે. આવા કેસોમાં નિરાકરણનો સમય કેસની ગંભીરતા અને જટિલતા પર આધારિત છે. આવા કેસોમાં ગ્રાહકને સમયમર્યાદા વિશે સક્રિયપણે જાણ કરવામાં આવશે.
લેવલ 2
- ફરિયાદ નોંધણી:
ગ્રાહક તેમની ફરિયાદને આગલા સ્તરે લઈ જવા માટે નીચેના કોઈપણ માધ્યમનો ઉપયોગ કરી શકે છે:
જો લોગઈનમાં કોઈપણ સમસ્યા હોય તો, તે https://support.phonepe.com/ દ્વારા કરી શકાય છે
080-68727374 / 022-68727374 પર અમારા ગ્રાહક સહાય કેન્દ્ર પર કૉલ કરીને.
2. ફરિયાદોનું નિરાકરણ:
ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર અમે પહેલો પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમારું લક્ષ્ય લેવલ 2 ફરિયાદોનો ઉકેલ 3 કાર્યકારી દિવસોમાં લાવવાનું છે. નિરાકરણ સમયમાં કોઈપણ વિલંબની જાણ ગ્રાહકને સક્રિયપણે કરવામાં આવશે.
લેવલ 3
i. ફરિયાદ નોંધણી:
જો સમસ્યાનું નિરાકરણ અગાઉના સ્તરે ન થયું હોય તો ગ્રાહક ફરિયાદ ડેસ્કનો સંપર્ક કરી શકે છે
- નોન-PhonePe QR દ્વારા ચુકવણી સંબંધિત સમસ્યાઓ માટે 30 દિવસ.
- કોઈ બીજા પ્રકારની વ્યવહાર સંબંધિત સમસ્યાઓ માટે 10 દિવસ.
ફરિયાદ અધિકારીનું નામ અને સંપર્ક વિગતો નીચે આપેલ છે:
મુખ્ય નોડલ અધિકારી- શ્રી અનિકેત બહેતી
સંપર્ક નંબર.: 080-68727374 / 022-68727374
નોડલ અધિકારી: કુ. દીપા શેટ્ટી
સંપર્ક: 080-68727374 / 022-68727374
વેબપેજ: https://grievance.phonepe.com/
સરનામું – ઓફિસ-2, ફ્લોર 4,5,6,7, વિંગ A, બ્લોક A, સલારપુરિયા સોફ્ટઝોન, સર્વિસ રોડ, ગ્રીન ગ્લેન લેઆઉટ, બેલંદુર, બેંગલુરુ, કર્ણાટક-KA, પિન- 560103.
કામકાજનો સમય: સોમ-શુક્ર સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી.
2. ફરિયાદોનું નિરાકરણ:
ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર અમે પહેલો પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે લેવલ 3 ની બધી ફરિયાદોનો 7 કાર્યકારી દિવસોમાં ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ (ભારત કનેક્ટ માટે અમે 30 કાર્યકારી દિવસોમાં ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ). નિરાકરણ સમયમાં કોઈપણ વિલંબની જાણ તમને સક્રિયપણે કરવામાં આવશે.
લેવલ 4
જો પાછલા સ્તરે ગ્રાહકની ફરિયાદનો 30 દિવસની અંદર સંતોષકારક ઉકેલ ન આવે, તો તેઓ RBI લોકપાલનો સંપર્ક કરી શકે છે.
લોકપાલનું ફરિયાદ નોંધાવવાનું પોર્ટલ: https://cms.rbi.org.in/
ટોલ ફ્રી ફોન નં.: 14448
ઈમેઈલ આઈડી: [email protected]
સરનામું – સેન્ટ્રલાઇઝ્ડ રિસીપ્ટ અને પ્રોસેસિંગ સેન્ટર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચોથો માળ, સેક્ટર 17, ચંદીગઢ – 160017વધુ માહિતી માટે કૃપા કરીને લિંક જુઓ – RBI Ombudsman.
6.ગ્રાહક જવાબદારીની મર્યાદા
અનુ.નં. | વિગતો | ગ્રાહકની મહત્તમ જવાબદારી |
---|---|---|
1 | PhonePe તરફથી થયેલી છેતરપિંડી/બેદરકારી/ખામી, (પછી ભલે ગ્રાહક દ્વારા વ્યવહારની જાણ કરવામાં આવે કે ન કરવામાં આવે તે ધ્યાનમાં લીધા વિના) | શૂન્ય |
2 | તૃતીય પક્ષ ઉલ્લંઘન, જ્યાં ગ્રાહકની પણ ભૂલ ના હોય અને PhonePeની પણ ભૂલ ના હોય, પરંતુ સિસ્ટમમાં ક્યાંક કોઈ ભૂલ હોય અને ગ્રાહક અનઅધિકૃત ચુકવણી વ્યવહાર વિશે PhonePeને જાણ કરે છે. દરેક વ્યવહાર માટે ગ્રાહકની જવાબદારીની રકમ, ગ્રાહકને PhonePe તરફથી વ્યવહાર વિશે સંદેશાવ્યવહાર પ્રાપ્ત થાય તે સમય અને ગ્રાહક દ્વારા PhonePe ને અનધિકૃત વ્યવહારની જાણ કરવામાં આવે તે સમય વચ્ચેના દિવસોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે.- | |
i. Wત્રણ દિવસની અંદર# | શૂન્ય | |
ii. ચાર થી સાત દિવસની અંદર# | વ્યવહાર મૂલ્ય અથવા પ્રતિ વ્યવહાર ₹10,000/-, જે ઓછું હોય તે | |
iii. સાત દિવસ બાદ# | PhonePe પ્રત્યેક મામલાના આધારે નિર્ણય લેશે. | |
3 | જો ગ્રાહક બેદરકારી દર્શાવે અને નુકસાનનું કારણ બને, ઉદાહરણ તરીકે, તેમની ચુકવણીની માહિતી શેર કરીને, તો સમગ્ર નુકસાન માટે જવાબદાર રહેશે ગ્રાહક જવાબદાર રહેશે. જ્યાં સુધી ગ્રાહક PhonePe ને અનધિકૃત વ્યવહાર વિશે જાણ ન કરે. એકવાર ગ્રાહક સમસ્યાની જાણ કરે, પછી ત્યારબાદના કોઈપણ વધુ નુકસાન માટે PhonePe જવાબદાર રહેશે. | |
4 | PhonePe પોતાની વિવેકબુદ્ધિથી, ગ્રાહકની બેદરકારીના કિસ્સામાં પણ, અનધિકૃત ઇલેક્ટ્રોનિક ચુકવણી વ્યવહારોના કિસ્સામાં ગ્રાહકની કોઈપણ જવાબદારીને માફ કરવાનો નિર્ણય લઈ શકે છે. |
ગ્રાહકની જવાબદારી મર્યાદિત હોય તેવા કિસ્સાઓમાં
- ગ્રાહકોએ તેમના ખાતાઓને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને મજબૂત પાસવર્ડ અને પિનનો ઉપયોગ કરવો જોઈએ, જેને નિયમિત સમયના અંતરે બદલતા રહેવું જોઈએ. પિન/પાસવર્ડ અને OTPને ઇમેઇલ/ટેલિફોન દ્વારા કોઈની સાથે શેર કરવા જોઈએ નહીં, જેમાં PhonePeના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે,. PhonePe ક્યારેય આવા ક્રેડેન્શિયલ માંગશે નહીં.
- મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીમાં ફેરફારના કિસ્સામાં, ગ્રાહકોએ અમારી ગ્રાહક સહાય ટીમનો સંપર્ક કરીને PhonePe ને લેખિતમાં આવા ફેરફારોની તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે.
- ગ્રાહકોએ ઇલેક્ટ્રોનિક ચુકવણી વ્યવહારો માટે SMS એલર્ટ અને ઈ-મેલ એલર્ટ (જ્યાં પણ લાગુ થતું હોય) માટે ફરજિયાત નોંધણી કરાવવી આવશ્યક છે.
- ગ્રાહકોએ કોઈપણ અનધિકૃત વ્યવહારને ઓળખવા માટે SMS એલર્ટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા નિયમિતપણે વ્યવહારોનું નિરીક્ષણ કરવું જોઈએ.
- આ ગ્રાહકની જવાબદારી છે કે તેઓ ખાતામાં થતા કોઈપણ અનધિકૃત વ્યવહારની તાત્કાલિક PhonePeને જાણ કરે તેમજ તેઓ સુનિશ્ચિત કરે કે જાણ કરવામાં કોઈ વિલંબ ન થાય.
7.ભારત કનેક્ટ સંબંધિત ફરિયાદો નોંધાવો
ગ્રાહક અહીં ક્લિક કરીને ભારત કનેક્ટને બિલ ચુકવણીની ફરિયાદ કરી શકે છે. આવી ફરિયાદોના નિરાકરણ માટે જ્યાં જરૂર હોય ત્યાં NBBL દ્વારા PhonePeનો સંપર્ક કરી શકાય છે. આવી ફરિયાદનો ઉકેલ આવી જાય ત્યારે અમારે ગ્રાહકને કોઈ સૂચના મોકલવાની જરૂર રહેશે નહીં.
8.આધાર eKYC ફરિયાદ નિવારણ
- આધાર eKYC અને સંમતિ રદ કરવા સંબંધિત સમસ્યાઓ માટે, મર્ચન્ટ/ગ્રાહક નીચે મુજબની રીતો દ્વારા સંપર્ક કરી શકે છે અથવા ફરિયાદ નોંધાવી શકે છે:
- મર્ચન્ટ 080-6872-7777/ 022-6872-7777 પર ઈનબાઉન્ડ ટીમનો સંપર્ક કરી શકે છે. અમે અઠવાડિયાના બધા જ 7 દિવસ સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી સહાય પુરી પાડીએ છીએ. ઓનબોર્ડિંગ સંબંધિત સમસ્યાઓ 5 કાર્યકારી દિવસોમાં ઉકેલાઈ જશે અને સંમતિ રદ કરવાની વિનંતીઓ 30 દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.
- ગ્રાહકો અમારા ગ્રાહક સહાય કેન્દ્રને 080-68727374 / 022-68727374 પર કૉલ કરી શકે છે.
9.મર્ચન્ટ માટે
સર્વિસ લેવલ | ઑફલાઇન મર્ચન્ટની ફરિયાદોનું નિરાકરણ | પેમેન્ટ ગેટવે સંબંધિત ફરિયાદોનું નિરાકરણ | ||||||
---|---|---|---|---|---|---|---|---|
લેવલ 1 |
ફરિયાદની નોંધણી:1. ઑફલાઇન મર્ચન્ટ PhonePe બિઝનેસ ઍપની હોમ સ્ક્રીન પર (?) હેલ્પ આઇકન પર ટેપ કરીને PhonePe મર્ચન્ટ સપોર્ટમાં તેમની ફરિયાદો નોંધાવી શકે છે. 2. હેલ્પ સેક્શનમાં, મર્ચન્ટને જે વિષયમાં સમસ્યા હોય તે પસંદ કરીને ફરિયાદ નોંધાવવા માટે “અમારી સાથે ચૅટ કરો” પર ક્લિક કરી શકે છે. 3. વૈકલ્પિક રીતે, મર્ચન્ટ, PhonePe બિઝનેસ ડૅશબોર્ડના હોમ પેજ પર (?હેલ્પ) આઈકન પર ક્લિક કરીને પણ https://business.phonepe.com/faq પર ફરિયાદ નોંધાવી શકે છે. 4. અમે 24/7 સહાય સેવા પ્રદાન કરીએ છીએ. |
ફરિયાદની નોંધણી:1. મર્ચન્ટ PhonePe બિઝનેસ ડૅશબોર્ડ પર હેલ્પ સેક્શન દ્વારા PhonePe પેમેન્ટ ગેટવે સપોર્ટમાં તેમની ફરિયાદ નોંધાવી શકે છે. 2. હેલ્પ સેક્શનમાં, મર્ચન્ટને જે વિષયમાં સમસ્યા હોય તે પસંદ કરીને ફરિયાદ નોંધાવવા માટે “અમારો સંપર્ક કરો” પર ક્લિક કરી શકે છે. 3. જો મર્ચન્ટ તેમના Phonepe બિઝનેસ ડૅશબોર્ડ પર લોગઈન ના કરી શકતા હોય તો,તેઓ https://tickets.phonepe.com/en/support દ્વારા PhonePe પેમેન્ટ ગેટ વે સપોર્ટમાં ફરિયાદ નોંધાવી શકે છે. 4. અમે 24/7 સેવા પ્રદાન કરીએ છીએ. | ||||||
ફરિયાદોનું નિરાકરણ:ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર અમે તમને પહેલો પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય 7 દિવસમાં બધી ફરિયાદો/પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. અમુકવાર, બેંકિંગ, ઓપરેશનલ અથવા તકનીકી કારણોસર ફરિયાદનો ઉકેલ લાવવામાં વધુ સમય લાગી શકે છે. આવા કિસ્સાઓમાં, મર્ચન્ટને તેમની ફરિયાદનો ઉકેલ લાવવા માટે જરૂરી અપેક્ષિત સમય વિશે અગાઉથી જાણ કરવામાં આવશે. છેતરપિંડી અને જોખમ મૂલ્યાંકન’ સંબંધિત ફરિયાદોની તપાસમાં સામાન્ય રીતે વધુ સમય લાગે છે કારણ કે તેમાં બહુવિધ એજન્સીઓ સામેલ હોય છે. આવી ફરિયાદોનો ઉકેલ લાવવાનો સમય, કેસ કેટલો ગંભીર અને જટિલ છે તેના પર આધાર રાખે છે. આવા બધા કેસોમાં અપેક્ષિત સમયમર્યાદા વિશે તમને અગાઉથી જાણ કરવામાં આવશે. ઉકેલમાં કોઈપણ વિલંબના કિસ્સામાં, મર્ચન્ટને સક્રિયપણે જાણ કરવામાં આવશે. | ||||||||
લેવલ 2 |
| |||||||
લેવલ 3 |
ફરિયાદની નોંધણી:
1. નોડલ અધિકારી અને મુખ્ય નોડલ અધિકારીના નામ અને સંપર્ક વિગતો નીચે આપેલ છે:
ફરિયાદોનું નિરાકરણ:1. ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર અમે પહેલો પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 2. અમારું લક્ષ્ય લેવલ 3 ની બધી ફરિયાદોનો 7 કાર્યકારી દિવસમાં ઉકેલ લાવવાનું છે. નિરાકરણ સમયમાં કોઈપણ વિલંબની જાણ મર્ચન્ટને સક્રિયપણે કરવામાં આવશે. | |||||||
લેવલ 4 |
જો કોઈ મર્ચન્ટની ફરિયાદનો 30 દિવસની અંદર અગાઉના સ્તરે સંતોષકારક ઉકેલ ન આવે, તો તેઓ RBI લોકપાલનો સંપર્ક કરી શકે છે.
લોકપાલનું ફરિયાદ નોંધાવવાનું પોર્ટલ:
https://cms.rbi.org.in/ ટોલ-ફ્રી ફોન ન: 14448 ઈમેઈલ આઈડી: [email protected] સરનામું – Cસેન્ટ્રલાઇઝ્ડ રિસીપ્ટ અને પ્રોસેસિંગ સેન્ટર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચોથો માળ, સેક્ટર 17, ચંદીગઢ – 160017 વધુ માહિતી માટે કૃપા કરીને લિંક જુઓ – RBI Ombudsman. |